JSG ઈડર દ્વારા તપસ્વીઓ નું બહુમાન કરવામાં આવ્યું…

0
4

ઇડર શહેર માં આવેલ ટાઉન હોલ ખાતે 2ઓક્ટોમ્બર ના રોજ તપસ્વીઓનું બહુમાન કરવા માં આવ્યું હતું.

તપ, જપ, અને સાધનાના પર્વ એવા પર્યુષણ મહાપર્વ દરમ્યાન આ વર્ષે સદગરુ નો સંગ ઈડર ને પ્રાપ્ત થયો છે જેના પ્રભાવે આ વર્ષે 5 ઉપવાસ, 8 ઉપવાસ, 10 ઉપવાસ, 16 ઉપવાસ, સિધ્ધીતપ જેવા અનેક તપ કરવામાં આવ્યા હતા. આવા તપસ્વીઓ ના બહુમાનનો કાર્યક્રમ ઈડર શહેરના ટાઉનહોલ માં ઈડર નગરપાલિકા પ્રમુખ જયસિંહભાઈ તંવર ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો જેમાં પાલિકામાં સતત કાર્યરત એવા બન્ને જૈન કોર્પોરેટર પીકેશભાઈ શાહ અને સુરેખાબેન સંખેસરા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના ગીત સાથે શરૂ થયેલ કાર્યક્રમમાં ત્રણેય આમંત્રીતો નું jsg ઈડર ના પ્રેસિડેન્ટ ચિરાગ દોશી અને તેમની ટિમ દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન જયસિંહભાઈ તંવર અને ઈડર jsg ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ સુરેશકાકા ના પ્રાસંગીક ઉદબોધન બાદ તપસ્વીઓ નું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને અંતે હાજર રહેલા સૌ કોઈ માટે પ્રભાવનાની વ્યવસ્થા કરાઈ હતી.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here