Gj 18 સોનીપુર ના નરેશ ઠાકોર સામાજિક કાર્યકર દ્વારા તત્કાલ રક્તદાન કરી ઉમદા ઉદાહરણ આપ્યુ

0
27

“રક્તદાન મહાદાન”

આજ રોજ મહુંદ્રા ગામના સ્થાનિક વતની ચહેરાજી ઠાકોર જેઓ એક દર્દી તરીકે સિવિલ હોસ્પિટલ,સેકટર-૧૨,ગાંધીનગર ખાતે આંતરડાની બીમારીની સારવાર લઈ રહ્યા હતા એમને સારવાર દરમિયાન ઓપરેશન કરવાનું તાત્કાલિક ડોક્ટરે જણાવેલ પરંતુ પોતાના શરીરમાં માત્ર ને માત્ર ૪ ટકા જેટલું જ લોહી હોવાથી શક્ય ન હતું જેથી બીજું ૫ બોટલ જેટલું રક્ત ચડાવવું પડે તેમ હતું દર્દીના સંપર્કમાં રહેતા શૈલેશજી ઠાકોર દ્વારા સંપર્ક કરતા સોનીપુર ગામના સામાજિક કાર્યકર્તા અને હમેશા સેવાકીય પ્રવૃતિઓ માં અગ્રેસર રહેતા નરેશજી શનાજી ઠાકોર તેઓ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે આવીને રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી અને બીજી જરૂરિયાત જણાતી રક્તની વ્યવસ્થા માટેની બાહેધરી આપી હતી.

ખુબ પ્રસંશનીય વાત એ કહી શકાય કે નરેશજી શનાજી ઠાકોર એ આજે 36 મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી છે.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here