રાણી લક્ષ્મીબાઈ ની જન્મજયંતી નિમિતે બહેનો માટે ભવ્ય છાત્રા સંમેલન યોજાયું, જિલ્લા ના પ્રતિભાશાળી વિધાર્થિનીઓ નું સન્માન કરાયુ.
ABVP મોરબી જીલ્લા દ્વારા રાણી લક્ષ્મીબાઈ જન્મજયંતી નિમિતે "છાત્રા સંમેલન સ્વયંસિધ્ધા" નું આયોજન નવયુગ સંકુલ ખાતે યોજાયું. જેમાં ૧૫૦થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ ,PSI નિરાલીબેન શુક્લા ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ડો.ભાવનાબેન જાની(MD સ્ત્રી રોગ નિષ્ણાત) , પી.ડી.કાંજીયા (પ્રમુખ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન) ઉપસ્થિત રહ્યા .આરોગ્ય ,કાયદો, સાયબર સિક્યુરિટી, ગૌરવવંતા ગુજરાત માં મહિલાઓ ની ભૂમિકા જેવા વિષયો પર સત્ર યોજાયા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બહેનો નું સન્માન કરવામાં આવ્યું.
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી