ક્ષત્રિય નારી અસ્મિતા ની લડાઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ નવી મોટી ચિર‌ઇ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

0
1

નવી મોટી ચિરઈ

ગુજરાત તેમજ ભારત ભરમાં રુપાલા ની વાણી વિલાસ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશ ભરમાં વિરોધ નોંધાવ્યો અને ગામે ગામથી વિરોધ નોંધાવ્યો છે રાજપૂત ક્ષત્રિય સમાજ ની એકજ માંગણી હતી કે રુપાલા ની ટીકીટ રદ કરવા ની માંગ ને ભાજપ સરકારે એક માંગ સ્વીકારાઈ નહિ ત્યાર બાદ રાજપૂત ક્ષત્રિય સમાજ જે રાજ્ય ભરમાં ગામેગામ ઘર્મ રથયાત્રા દ્વારા અન્ય સમાજ ને સાથે રાખી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી જે આજે ભચાઉ તાલુકાના નવી મોટી ચિર‌ઇ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે દલિત સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ અને અન્ય સમાજ સાથે જોડાયા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી કચ્છ ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી વિરભદ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત કરણીસેના ના પ્રમુખ માઘુભા જાડેજા ભચાઉ તાલુકાના રાજપૂત કરણીસેના ના પ્રમુખ ભરતસિંહ એચ જાડેજા ભચાઉ શહેર કરણીસેના પ્રમુખ લક્કીરાજસિંહ જાડેજા તથા મુસ્લિમ સમાજના ધર્મ ગુરૂ અને આગેવાનો દલીત સમાજ આગેવાનો કોળી સમાજ આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજ ની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ દિપક આહીર
ભચાઉ કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here