વડગામ તાલુકાના નાવિસણા ગામે બની ગોઝારી ઘટના
નાવિસણા ગામે બ્રાહ્મણ સમાજના એક પરિવારના ત્રણ સભ્યો ને કરંટ લાગતા કમકમાટીભર્યા મોત
પરિવાર ના સભ્ય કિર્તી ભાઈ દ્વારા જી ઈ બી ની ઘોર બેદરકારી બતાવી
એક પરિવારના ત્રણ સભ્યો ના મોતના સમાચાર સાંભળી G E B ના અધિકારીઓ એ જીવંત વીજ લાઈન ને અડેલા વુક્ષો કાપવાની કામગીરી હાથ ધરી
પ્રકાશભાઈ અમરતભાઈ જોષી ના ઘરના આગળનાં ભાગમાં જીવંત વીજ પોલ સાથે કપડાં સૂકવવા નો તાર બાધેલો હતો તાર પર સુકવેલુ પોતુ બાબો રુદ્ર લેવા જતા કરંટ લાગતા માતા ભાવનાબેન અને પિતા પ્રકાસભાઈ રુદ્ર ને બચાવવાં જતા ત્રણે વ્યક્તિઓના ઘરના આંગણે કમકમાટીભર્યા મોત નિપજયા હતા અને ત્રણ વર્ષની બેબી દિવ્યા ઘરની બહાર હોવાને કારણે દિવ્યા નો આબાદ બચાવ થયો હતો ઘટના ના સમાચાર લોકોને થતા ગામ આખુ શોક મય બન્યુ હતું
આજુ બાજુ ના લોકો દ્વારા તાત્કાલીક ત્રણેય લોકોને વડગામ C H C ખાતે લાવવામાં આવ્યા હતા C H C મા હાજર તબીબો દ્વારા મુત્યુ પામેલા લોકોને પોસ્ટમોર્ટમ ની કામગીરી હાથ ધરવામાં આવી અને ઘટનાની જાણ વડગામ પોલીસ ને થતા વડગામ P.S.I સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
તસ્વીર દિનેશ ઠાકોર પાલનપુર