સ્વામીવિવેકાનંદમંડળો દ્વારા દર મહીનાની ૧ (પહેલી) તારીખે સમગ્ર જીલ્લામાં મહાનુભાવોની પ્રતિમા સાફસફાઈ અને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાય છે. તે અંતર્ગત કાંકરેજના થરા ખાતે લોખંડી મહાપુરુષ એવા સરદાર પટેલ સાહેબની પ્રતિમા સાફ-સફાઈ અને પુષ્પાંજલિના કાર્યક્રમમાં થરા APMCના સેક્રેટરીશ્રી હસમુખભાઈ પટેલ, શિક્ષકશ્રી હરેશભાઇ પટેલ,આગેવાનો શ્રી વિરામભાઈ પટેલ, શ્રી ભાથીભા વાઘેલા તેમજ સ્વામી વિવેકાનંદ મંડળ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સહસંયોજકશ્રી ઉમેશભાઈ પ્રજાપતિ,તાલુકા સંયોજકશ્રી ભરતસિંહ વાઘેલા, સહસંયોજકો શ્રી શરદભાઈ સાંપરિયા અને શ્રી સંજયભાઈ દેસાઈની હાજરીમાં યોજાયો.
વેલાભાઇ પરમાર
BG News
કાંકરેજ (બનાસકાંઠા)