સમગ્ર પાટણ જીલ્લાના તાલુકા પંચાયત ખાતે પંચાયત તલાટીશ્રીઓ દ્વારા કેડરના પડતર પ્રશ્નો બાબતે કાળી પટ્ટી ધારણ કરી હકારાત્મક નિરાકરણ માટે રજુઆત કરી.

0
19

આજરોજ પાટણ જિલ્લાના. ચાણસ્મા ,પાટણ સમી ,રાધનપુર, સરસ્વતી ,સિદ્ધપુર ,હારીજ,સાંતલપુર , શંખેશ્વર તાલુકાના તમામ પંચાયત તલાટી શ્રીઓ સબંધિત તાલુકા પંચાયત કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી હાજર રહ્યા હતાજેમાં પ્રાપ્ત થતી માહિતિ મુજબ ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા તારીખ .૭/૯/૨૦૨૧ ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી સાહેબશ્રીને પડતર પ્રશ્નોના નિરાકર માટે આવેદન આપેલ છે .ત્યારબાદ પાટણ જિલ્લા મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ તથા તાલુકા મંડળ દ્વારા તાલુકા કક્ષાએ આવેદન આપેલ છે.પંચાયત તલાટીશ્રીઓ દ્વારા વર્ષ ૨૦૧૮માં ગાંધી ચિધ્યા માર્ગ વિવિધ કાર્યક્રમો થકી સરકાર પાસે રજુઆતો કરેલ હતી જે વખતે સારકારશ્રીએ પડતર પ્રશ્નોનું હકારત્મક ઉકેલ આપવા બાંધધરી આપી હતી .પરંતુ ત્રણ વર્ષ સુધી કોઈ પણ માંગણી ના સંતોષાતા ફરીથી મંડળ દ્વારા પડતર પ્રશ્નોની માગણી ઉગ્ર બની છે.આ કાર્યક્રમમાં જિલ્લા મંડળના તેમજસમગ્ર તાલુકા પંચાયત તલાટી ક્રમ મંત્રી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા..રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here