શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળા ખાતે ભગવદ્ ગીતા જયંતિ ઉત્સવ ઉજવણી કરવામાં આવી

0
8

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ.સી.સાળવી અને શ્રીમતી એમ.એસ.સાળવી પ્રાથમિક શાળા,પાલનપુર ખાતે ભગવદ્ ગીતા જયંતિ ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું.


આ પ્રસંગે જાણિતા વૈધ મહેશભાઇ અખાણીએ ઉપસ્થિત રહી શાળાનાં બાળકોને સરળ શૈલીમાં ગીતા ગ્રંથ વિશેની વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.
આ પ્રસંગે ગીતા આરતી કરી ગીતા પૂજન કરવામાં આવ્યુ હતું.શાળાનાં બાળકોએ ગીતા વિશેના વિચાર વક્તવ્યો તથા ગીતા અમૃતવાણી રજુ કર્યા હતાં.
શ્રીમતી સાળવી પ્રા.શાળાના ઉત્સાહી આચાર્ય મહેશભાઇ પટેલે પણ બાળકોને ગીતાનુ જીવનમાં મહત્વ સમજાવી બાળકોને ભગવદ્ ગીતા અંગે માહિતગાર કર્યા હતાં.
આ કાર્યક્રમનુ આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ,ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત તથા સુપરવાઇઝર તૃપ્તિબેન પટેલ અને સૌ શિક્ષક ભાઇ-બહેનોના સાથ સહકારથી કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનુ સંચાલન શાળાના શિક્ષિકા હર્ષાબેન ઇલાસરિયાએ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here