ખેડબ્રહ્મા તાલુકાનાં શીલવાડ ગામે નવરાત્રિ ના ગરબા ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગરબા રસિકો માં આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો,ગયા વર્ષે કોરોના મહામારી ના કારણે નવરાત્રી માં માતાજીના ગરબાની ખેલૈયાઓ નિરાશા જોવા મળી હતી . ત્યારે આ વખતે સરકાર દ્વારા 400 માણસો ની શેરી ગરબા ની છૂટ આપતા નવરાત્રી ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા અને ખેલૈયાઓની લાંબી કતારો પણ લાગી હતી
બિપિન જોષી