શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો વિદાય સમારોહ પંચવટી(ખીરઈ) ખાતે યોજાયો.

0
12

માળિયા : ખીરઈ તાલુકા શાળા તથા પેટા શાળા પ્રાથમિક શિક્ષક પરિવાર આયોજિત પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ પંચવટી(ખીરઈ) ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં નરેન્દ્રભાઈને શ્રીફળ, પળો તેમજ મોમેન્ટો અર્પણ કરી ઉપસ્થિત તમામ મહેમાનોએ નિવૃત્તિ જીવન સુખમય અને નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 નરેન્દ્રભાઈની શિક્ષક તરીકેની કારકિર્દી જામનગર જિલ્લામાંથી શરૂ થઈ હતી અને છેલ્લા ૧૪ વર્ષથી માળિયા તાલુકામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તેઓએ હાલ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. માળિયા તાલુકામાં માત્ર શિક્ષક તરીકે જ નહીં પણ માળિયા તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ તથા તાલુકા પ્રા. શિક્ષક સંઘના ઉપપ્રમુખના હોદ્દા ઉપર રહીને પણ હંમેશા શિક્ષકોને મદદરૂપ થતા રહ્યા હતા.

 સાથે જ આ કાર્યક્રમમાં માળિયા તાલુકામાંથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર મોટીબરાર પ્રા. શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા તેમજ કુંતાસી પ્રા. શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીનું માળિયા તાલુકા શિક્ષક પરિવાર વતી તાલુકા પંચાયત શિક્ષણ શાખા અને બી.આર.સી. ભવન - માળિયા તેમજ માળિયા તા. પ્રા. શિ. સંઘ દ્વારા વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોરબી જિ. પ્રા. શિ. સંઘના મહામંત્રી અને માળિયા તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, માળિયા તા. પ્રા. શિ. સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, જિ. પ્રા. શિ. સંઘના સિનિયર ઉપપ્રમુખ  પી. વી. લાવડીયા, માળિયાના ઈન્ચાર્જ કેળવણી નિરીક્ષક મોહનભાઈ કુવાડીયા, માળિયાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર નરેન્દ્રભાઈ નિરંજની, માળિયા તા. પ્રા. શિ. સંઘના ઉપપ્રમુખ વિનુભાઈ રાઠોડ, તાલુકા પંચાયત શિક્ષક સરાફી મંડળીના મંત્રી એમ. વી. લાવડીયા અને ઉપપ્રમુખ ધીરૂભાઈ બકુત્રા તેમજ માળિયાની તમામ તાલુકા શાળાના આચાર્યો, સી.આર.સી. મિત્રો, અને સંઘના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 કાર્યક્રમનું સફળ સંચાલન હસુભાઈ વરસડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ નૈતિકભાઈએ કરી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ખીરઈ તાલુકા શાળા પરિવારે ખાસ જાહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here