અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ની સૂક્ષ્મ પ્રેરણા તથા ગાયત્રી પરિવાર લીમખેડા નાં માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર યુવા પ્રકોસ્ઠ ટીમ દ્વારા “વૃક્ષગંગા” અભિયાન અંતર્ગત લીમખેડા તાલુકામાં આવેલી વેલાળી વર્ગ પ્રાથમિક શાળા અંધારીમાં શિક્ષક શ્રી જશુભાઈ બામણીયા નાં સહકાર અને સહયોગ થી શાળાનાં મેદાનમાં ૩૦ જેટલાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. તથા તેનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
રિપોર્ટ :- જગદીશ કોળી ..લીમખેડા