વડાલીમાં કોદર મહારાજની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

0
7

શારદા હાઈસ્કૂલ ના આચાર્ય ગૌતમ ભાઈ ભટ્ટ અને પ્રમુખ ગંગા રામ બાપા સતત હાજર રહ્યા.

વડાલી-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર શારદા હાઈસ્કૂલ પાસે આવેલા પરમ પૂજ્ય કોદર મહારાજની સમાધિ ની ડેરી આવેલી હતી ત્યારે તાજેતરમાં આ ડેરીનો જીણૉદ્વાર કરી મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ કોદર મહારાજ ની અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૨ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બર એમ બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.તેમજ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞ મહોત્સવ સિદ્ધપુરના કર્મકાંડી વિદ્વાન શાસ્ત્રી જનકભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોડી સાંજે પૂર્ણહિતી બાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડાલી તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહા પ્રસાદ નો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.કોદર મહારાજ નું ખાસ મહત્વ હોવા ના કારણે તમામ શિક્ષકો સવારે દર્શન કરી ને જાય છે અને શહેરીજનો પણ ગુરુવારે તો ખાસ દર્શને આવે છે..

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here