વડગામ કેશરબા વિધા સંકુલ ખાતે વડગામ યુ જી વી સી એલ દ્વારા સોલાર રૂફ ટોપ યોજના અંગે ની ગ્રાહકો ને માહિતી આપવામાં આવેલ જેમાં વડગામ યુ જી વી સી એલ ના નાયબ ઈજનેર શ્રી અજયસિહ બી સોલંકી દ્વારા સોલાર રૂફ ટોપ યોજના ની માહિતી આપવામાં આવેલ જેમાં સરકાર શ્રી દ્વારા ત્રણ કિલો વોટ સુધી ૪૦ ટકા સબસિડી અને ૩ કિલો વોટ ઉપર ૨૦ ટકા સબસિડી આપવામાં આવે છે તે અંતર્ગત માહિતી આપેલ જયારે કેશરબા જાડેજા વિધા સંકુલ ના જે એમ જાડેજા તેમજ ગુલાબસિહ હડીયોલ અને તાલુકા ના વીજ ગ્રાહકો એ હાજરી આપી હતી
રીપોર્ટ,, અબ્બાસ મીર …વડગામ