દેશ અને રાજ્ય માં કોરોના વાઈરસ જેવી મહામારી થી લોકો નુ આરોગ્ય જળવાય અને સુખાકારી રહે તે માટે સરકાર શ્રી દ્વારા કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે કોરોના રસીકરણ અને માસ્ક પહેરવા જાહેરનામું પ્રસિદ્ધ હોય ત્યારે ત્રીજી લહેર ની શંકા વચ્ચે લોકો એ પણ સાવચેતી રાખવી જરૂરી હોય ત્યારે વડગામ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ટી જે દેસાઈ ના માર્ચ દર્શન હેઠળ વડગામ પોલીસ સ્ટાફ દ્વારા વડગામ બસ સ્ટેન્ડ ખાતે હરતાફરતા લોકો અને વાહન ચાલકો ને માસ્ક નુ વિતરણ કરવામાં આવેલ જેમાં વડગામ પોલીસ દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો ને માસ્ક આપી ને માસ્ક પહેરવા જણાવેલ અને જાન હે તો જહાન હૈ અને કોરાના વાઈરસ ને લઇને લોકો એ પણ જાગૃતિ દાખવી ને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ નિયમો પાળી ને માસ્ક ફરજીયાત પહેરવું તેમજ અને બે ગજ ની દુરી અને ભીટભાડ થી દૂર રહેવા જેવા નિયમો પાળી ને સુરક્ષિત રહીએ જયારે વડગામ પોલીસ દ્વારા માસ્ક નુ વિતરણ કરી ને લોક જાગૃતિ લાવવા ની કામગીરી કરી તે સરાહનીય છે
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ