વડગામ ખાતે બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે આમ આદમી પાર્ટી ની કારોબારી ની વડગામ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ શ્રી ભીખાભાઈ કોરોટ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં વડગામ તાલુકા ના આમ આદમી પાર્ટી ના સંગઠન ના આગેવાન શ્રી અને કાર્યકરો હાજર રહેલ જેમા વડગામ તાલુકા માં કોરોના મહામારી સમયે જેના મુત્યુ થયા છે તેમના ફોર્મ ભરવાની ની ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને તાલુકા માં ગ્રામ સમિતિ બનાવવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વડગામ તાલુકા ના આમ આદમી પાર્ટી ના સંગઠન ના દરેક હોદ્દેદારો ને જવાબદારી આપવામાં આવેલ જેમા વડગામ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રભારી શ્રી કામરાજભાઈ ભુતડીયા તેમજ વડગામ તાલુકા આમ આદમી પાર્ટી ના હોદેદારો હાજર રહ્યા હતા. રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ