પાટણ
રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ દર્દીઓનાં મોતીયાના ઑપરેશન બાદ ગઈકાલે અંધાપા જેવી સ્થિતિ સર્જાતા પાટણ જીલ્લા આરોગ્ય તંત્ર થયું દૌડતું
રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે
બીજી ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ વૃદ્ધ દર્દીઓના કરેલ મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને આંખનું ઈન્ફેક્શન થતા આંખે ઓછું દેખાતા કરાયા અમદાવાદ રીફર
સમગ્ર ઘટનાને દબાવવા પાટણ જીલ્લા આરોગ્ય વિભાગે કર્યા પ્રયાસ
ઘટનાની માહિતી આપવા મિડિયાને અંધારામાં રાખવાનો કર્યો પ્રયાસ
હાલ સર્વોદય આંખની હોસ્પિટલમાં એકપણ દર્દી નથી સારવાર હેઠળ
પાટણનાં CDMO ડૉ.પ્રીતિ સોનીએ કહ્યું બાઈટ ગાંધીનગરથી મળશે
CDMO ડો.પ્રીતિ સોનીનાં અધ્યક્ષ સ્થાને પાટણ આરોગ્ય વિભાગની ટિમ હાલ સમગ્ર મામલે કરી રહી છે તપાસ
સમગ્ર ઘટનાને લઇ એક પણ દર્દી નથી આવ્યુ મીડિયા સામે કે નથી નોંધાઈ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ
સર્વોદય આંખની હોસ્પિટલ હાલ જોવા મળી રહી છે ખાલી એક પણ દર્દી કે કોઈ જવાબદાર વ્યક્તિ નથી દેખાઈ રહ્યા હોસ્પિટલમાં