દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કોવિડ રસીકરણમાં ઝુંબેશ નો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો】17 સપ્ટેમ્બર 2121 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે બડોલી ગામે કોવિદ રસી કરણ મહાઝુંબેશ અંતર્ગત સવારે 7 કલાકે થી રસી કરણ ચાલુ કરી દેવાયું હતું.જેમાં ફસ્ટ અને સેકન્ડ ડોઝ ના 420 જેટલા લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. આ વેક્સિન કાર્યક્રમમાં ઇડર તાલુકા પંચાયત ના સદસ્ય કિરણબેન પટેલે હાજરી આપી હતી. રસીકરણ મહાઝુંબેસ કાર્યક્રમ ને સફળ બનાવવા આરોગ્ય વિભાગ ના ડૉ. સીમા મેમણ,who હસીનાબેન મન્સુરી, આશા વર્કર બહેનો,પ્રા. શાળા નં 2 ના આચાર્ય સાવનભાઈ સૂતરિયા દ્વારા સુંદર સેવા અપાઈ હતી.