ખેડબ્રહ્મા તાલુકાના બહેડીયા ગામે થોડાંક સમય પહેલા પી.એસ. આઈ વી.બી.પટેલ સાહેબ એક જુના કેસ ની તાપસ માં ગયેલા હતા તે સમયે તેમની નજર એક ગરીબ પરિવાર પડતા તેમને તે સમયે તે પરિવાર ની મુશ્કેલી જોતા વી.બી પટેલ સાહેબ તેમજ યુવા અન્સ્ટોપેબલ દ્વારા તાત્કાલિક તે પરિવાર ને જીવંજરુયાત વસ્તુઓ પુરીપાડવામાં આવી હતી. તે સમયે યુવા અન્સ્ટોપેબલ ખેડબ્રહ્મા અને પી.એસ. આઈ વી.બી.પટેલ સાહેબ સાથે મળીને આ ગરીબ પરિવાર ને રહેવા માટે મકાન, કપડાં, રાશન, વાસણ અને બીજી જીવન જરૂયાત ની તમામ ચીજ વસ્તુઓ આપીશું તેવો નિર્ણય કર્યો હતો. તેજ પ્રમાણે મકાન નું કામ ચાલુ કરવા માટે સિમેન્ટ, રેતી, ભડદા પહોંચી ગયાં છે. ટુક સમય માં કામ ચાલું થઈ જશે. આવા કોરોના ના કપરા સમયમાં આવા ગરીબ પરિવાર ને મદદ કરવા માટે યુવા અન્સ્ટોપેબલ અને ખેડબ્રહ્મા પી.એસ. આઇ. વી.બી.પટેલ સાહેબ ને લાખ લાખ ધન્યવાદ.
*બિપિન જોષી ખેડબ્રહ્મા*