પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરીયા ગામે આજ રોજ ધામ ધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ગણપતિ વિસર્જન માં ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગણપતિ વિસર્જન માં ડી જે સાથે વરઘોડો કાઢવા માં આવ્યો હતો. અને બધાં ગણપતિ ભકતો ડી જે ના તાલે નાચ્યાં હતાં. અને ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે આખું ડાંગરીયા ગામ ગુંજી ઉઠ્યું હતું. એ પછી ગણપતિ વિસર્જન માટે ગામના તળાવમાં જઈ દાદા ની આરતી કરી ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું.રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ..પંચમહાલ