મોરબી પરશુરામધામ રોડ ઉપર આવેલ પરશુરામ મંદિરમાં સુશીલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પોરબંદર સાસંદશ્રી રામભાઇ મોકરીયાની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બ્રાહ્મણ એટલે તમામ સમાજને સાથે લઇને ચાલવા વાળો સમાજ છે. પરશુરામ ભગવાન વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર છે. બ્રાહ્મણ કોઇની ઇર્ષા કરે નહીં. દ્વારકાધીશ પાસે જઇને કાઇ ન માગે તે બ્રાહ્મણ છે. આ તકે પોરબંદર સાસંદશ્રી રામભાઇ મોકરીયાએ બ્રાહ્મણ સમાજ તમામ સમાજને સાથે રાખી અને તેમા ભળી જવા વાળો સમાજ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારે વિવિધ યોજનાઓ થકી જનસુખાકારીના કાર્યો કર્યા છે.
લોકાર્પણના આ પ્રસંગે મોરબી માળિયાના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલીકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ.ઝાલા, નાયબ કલેકટરશ્રી આચાર્ય, અગ્રણી સર્વેશ્રી જયોતિસિંહ જાડેજા, અજયભાઇ લોરીયા, છેલ્લાભાઇ, ભુપતભાઇ સહિત બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર.. મયંક દેવમુરારી મોરબી