કપિલ પટેલ અરવલ્લી
જૈન પાવાપુરી મંદિર ઇડર ના પવિત્ર અને રમણીય સ્થળ પર આજે પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ અને વિકાસ વિષય પર હિંમતનગર શહેર અને તાલુકાના મંડલ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિસ્ત બંધ અને સંસ્કારી પાર્ટી તેમજ પરમ વૈભવશાળી બનાવવાનું અને દેશના હિત તેમજ દેશભક્ત રહેવા કાર્યકર્તા નું લક્ષ રહેલું છે
અભ્યાસ વર્ગ માં ભાજપ નો ઇતિહાસ અને વિકાસ વિષય પર પૂર્વ સાંસદ તેમજ પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણે કાર્યકર્તાઓ ને વક્તવ્ય આપતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી વિચાર નિષ્ઠ પાટી છે .કાર્યપદ્ધતિ એ સંગઠનનો આત્મા છે. પ્રશિક્ષણ વર્ગ, કાર્યકર્તા, કાર્યક્રમ, પ્રવાસ, સંવાદ, સંપર્ક ના કારણે કાર્યકર્તાનું એક સારું ઘડતર થાય છે. પાર્ટીના સંગઠનના માળખામાં બુથના કાર્યક્રમનો વિચાર કરવામાં આવે છે. વિચારોની સ્પષ્ટતા કાર્ય પદ્ધતિ પર અતૂટ શ્રદ્ધાને સંગઠન ના મૂળ સિદ્ધાંતો પર વિશ્વાસ રાખીને જ આપણે સંપૂર્ણ દેશમાં અજેય સંગઠન નું નિર્માણ કરી શકીએ છીએ. કાર્યકર્તા અને પદાધિકારિઓએ ભોજન કરવાનો આગ્રહ કાર્યકર્તા ના ઘરે જ રાખવો જોઈએ જેનાથી કૌટુંબિક ભાવના પેદા થાય છે અને પારિવારિક સંબંધો સારા બની રહે છે. મત મતાંતર થી દૂર રહી સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કરવું જોઈએ .મા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત ના કાર્યક્રમમાં પેજ સમિતિના સભ્યોને સામેલ કરવા જોઈએ. મા ભારતી નુ કલ્યાણ એ જ આપણું લક્ષ્ય છે તે મંત્રની સાથે આગળ વધવું જોઈએ અને દેશભક્ત બની દેશ ના વિકાસ અને નિષ્ઠા પ્રામાણિકતા અને સંસ્કૃતિ ની પરંપરાગત રીતે રહી દેશ અને જનતા ના વિકાસ માં સતત પ્રયત્નશીલ રહી કાર્યકર્તા એ કામ કરવું જોઈએ આ મંત્ર ને અપનાવી કાર્યકરોએ જનતા ના વિકાસના કામો કરવા આહવાન કર્યું હતું