બડોલી મંદિરમાં નૂતન વર્ષે અન્નકૂટ ધરાવાયો..

0
5

હિન્દુ નવું વર્ષ સંવત ૨૦૭૮ ના નૂતનવર્ષે બડોલી ગામ ના મંદિરોમાં વિવિધ વાનગીઓનો અન્નકૂટ નો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં શ્રદ્ધાળુઓએ દર્શન નો લાભ લીધો તેમજ દીપાવલીની ઉજવણી સાથે નૂતનવર્ષે રામજી મંદિરના ભગવાન ઠાકોરજીને શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ પંચ દ્વારા અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ નર નારાયણ સ્વામી નારાયણ મંદિર અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરોમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ નવા વર્ષની શરૂઆત કરી હતી.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here