બડોલી પ્રા.શાળા નં.1 ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સી.આર.સી કક્ષાના કલા ઉત્સવ ની ઉજવણી કરાઈ..

0
9

ઇડર…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સી.આર.સી કક્ષાના કલા ઉત્સવ ની ઉજવણી બડોલી પ્રાથમિક શાળા નંબર – 1માં કરવામાં આવી જેમાં સી.આર.સી અંતર્ગત આવતી ધોરણ ૬ થી ૮ ની શાળાઓએ ભાગ લીધો હતો ઉત્સવ અંતર્ગત દેશના “સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ” – ચિત્ર સ્પર્ધા, “સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્થાનિક કથાઓ”- નિબંધ સ્પર્ધા, “સ્થાનિક સેનાનીઓનું યોગદાન”- વકતૃત્વ, “રાષ્ટ્રીય શાયર ‘શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો’ -શૌર્યગીત – કાવ્યગાનની સ્પર્ધાઓ યોજવામાં આવી સ્પર્ધાના અંતે પ્રમાણપત્ર તથા ઇનામ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડીનેટર તરલિકાબેન બી. શાહ તથા જૂથમંત્રીશ્રી અરવિંદ એલ. દીક્ષિત હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here