પ્રાંતિજ તાલુકાના સદાના મુવાડા માં રહેતા રાઠોડ સોમાજી કચરાજી ઉ.વર્ષ-૬૦ કે જેવો છેલ્લા બે વર્ષ થી લકવાગસ્ત અને મગજ ની બીમારીથી પીડાતા હતા તેમણે સવારે પોતાના ધરે ઝેરી દવા ગટગટાવી જતા તમને ઉલ્ટીઓ થતા તાત્કાલિક સારવાર માટે તલોદ હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યા હતા અને તલોદ થી વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખાતે લઇ જવામા આવ્યા હતા જયા સારવાર દરમ્યાન આધેડ નું મોત નિપજયુ હતુ તો આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને ગાંધીનગર સિવિલ ના હાજર તબીબી તથા મૃતક ના પુત્ર રણજીતસિંહ સોમાજી રાઠોડ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરવામાં આવી હતી તો પ્રાંતિજ પોલીસ દ્વારા યોગ્ય તાપસ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અલ્પેશ નાયક..પ્રાંતિજ