સમગ્ર જગ્યાએ ગુરુપૂર્ણિમાની ઉજવણી થતી હોય છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પોગલુ ગામમાં આવેલ વારાહી શક્તિપીઠ મંદિરમાં વહેલી સવારથી જ શિષ્યોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને ગુરુના ચરણ સ્પર્શ કરી પૂજન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે વારાહી શક્તિપીઠ ખાતે રસીકરણ પણ કરવામાં આવ્યું હતું જેથી મંદિરમાં આવતા માઇભક્તોએ રસી નો લાભ લીધો જેમાં મહંત સુનીલદાસજી મહારાજનું ફૂલહાર અને સાલ ઓઢાડી ગુર પૂજન કરવામાં આવ્યું જેમાં પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેંન્દ્રસિંહ પરમાર , તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ ,મહામંત્રી અર્જુનસિંહ મકવાણા, રમેશભાઈ પટેલ , નરેન્દ્રભાઇ પટેલ , અનુજ પટેલ , ડાહ્યાજી મકવાણા , ડેરી ના ચેરમેન મહેશભાઈ પટેલ , નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
*અલ્પેશ નાયક સાબરકાંઠા*