પ્રાંતિજના દલાની મુવાડીથી વરાણા પગપાળા સંઘ નીકળ્યો

0
9

પ્રાંતિજના દલાની મુવાડીથી વરાણા પગપાળા સંઘ નીકળ્યો

પ્રાંતિજ દલાની મુવાડીથી આજે સવારે રાજ માં રાજેશ્વરી ખોડલ ધામ વરાણા ખાતે પગપાળા સંઘ નીકળ્યો હતો. જેમાં હમીર સિંહ ઝાલા તથા મધુબા હમીર સિંહ ઝાલા દ્વારા પરંપરાગત રીતે છેલ્લા દશ વર્ષથી આ પગપાળા સંગનું આયોજન કરવામાં આવે છે. જેમાં સવારે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. દલાનીમુવાડી ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા સુરેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, કાળાભાઈ પરમાર ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા.
આ પગપાળા સંઘમાં નાના બાળકો મહિલાઓ સહિત 30 લોકો જોડાયા હતા.

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here