આ સન્માન કાર્યક્રમ સરદારધામ, અમદાવાદ ખાતે તારીખ:07-05 શુક્રવારના રોજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું હોવાથી મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમજ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કામિનીબેનને સમાજસુધારક અને પ્રગતિશીલ વિચારક પરમ પૂજય શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલીવાળા) ના તેમજ ટીમ સરદારધામના વરદ્દહસ્તે સંસ્થા તરફથી બુકે , મોમેન્ટો, ખેશ અને રૂ.51000/- રોકડા આપીને તેમનું સન્માન કરાયું હતું. ત્યારબાદ શ્રીસ્વામીજી સચ્ચિદાનંદજીનું પણ બુકે , મોમેન્ટો,ખેશ , ફ્રુટની છાબડી સાથે ટીમ સરદારધામના મિત્રો દ્વારા સન્માન કરાયું હતું. સાથોસાથ સાંપ્રત કોરોનાની સ્થિતિમાં નાગરિકોને ઉપયોગી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન (મોટીવેશન) મળે તે હેતુથી પૂજ્ય સ્વામીજી દ્વારા વિષયને અનુરૂપ ટૂંકું પ્રવચન અપાયું હતું.
આ કાર્યક્રમમાં સુરતથી શ્રી લવજીભાઇ ડાલીયા, શ્રી દિનેશભાઇ નારોલા, શ્રી સી.પી.વાનાની તેમજ સરદારધામ ટીમના શ્રી જ્યંતિભાઇ પટેલ અને શ્રી નટુભાઇ પટેલ (મેઘમણી ગ્રૂપ), શ્રી બી.કે.પટેલ (ડાયનેમીક) , CA બી.કે.પટેલ, સી.ઇ.ઓ.શ્રી એચ.એસ.પટેલ IAS (Retd.), પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરિયા તેમજ ટીમના અન્ય મિત્રો અને કામિનીબેનનો પરિવાર હાજર રહ્યાં હતાં. સરદારધામ પ્રમુખ સેવક ગગજી સુતરિયા દ્વારા કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરાઇ હતી કે આગામી સમયમાં સંસ્થામાં વિરાંગના કામિનીબેન પટેલના નામે દીકરીઓ માટે તાલીમ કેંદ્ર શરૂ કરવામાં આવશે. કાર્યક્રમને અંતે સંસ્થાના માનદ્દ મંત્રી CA બી.કે.પટેલે ઉપસ્થિત સૌનો તેમજ મીડીયાના તમામ મિત્રોનો આભાર વ્યકત કર્યો.