કોરોનની મહામારીમાં બીજી મહામારીને આમંત્રણ આપશે તે નજર સમક્ષ દેખાય રહ્યું છે…
ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ને કુંભકર્ણની નિંદ્રામાંથી કોણ જગવશે…??
આ કચરાના ઢગલા મચ્છરજન્ય,પાણીજન્ય રોગચાળાને નોંતરૂ આપશે અવું લાગી રહ્યું છે…
ધોળકા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રાખવાના દાવા અેકદમ તદ્દન ખોટા દેખાય છે.હાલ ધોળકા શાક માર્કેટ બહાર તથા અંદર જયા રસ્તા મેનગેટ આગળ ગંદકીના ઢેર કચરાના ઢગલા પડી રહ્યા છે.પરંતુ અધિકારીઓને આ બધુ કેમ દેખાતુ નથી..??
કોઈ અઘટિત દુર્ઘટના ના સર્જાઈ તે માટે નગરપાલિકા આ બાબતે ત્તાતકાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી પૂર્ણ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.હાલ પબ્લિક નું કહેવું છે કે ઘણા બધા ન્યુઝ મીડિયા વાળા પ્રેસવાળા ફોટા પાડીને લઈ જાય છે.પણ આનો કોઈ નિકાલ કરતું નથી.નગરપાલિકા દ્વારા કેમ ઓરમાયું વર્તન કરવામાં આવે છે.સાફ સફાઇ માટે મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળેશે.તો જવાબદાર કોણ રહેશે..?
ધોળકા નગરપાલિકા પોતાની આળસ ખંખેરી સત્વરે કામગીરી પૂર્ણ કરી સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરે…
રિપોર્ટ:- જયપાલસિંહ મહીડા.. ઘોળકા