દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રૂવાબારી મુવાડા ગામના માઇભકતોતારીખ ૦૧/૦૯/૨૦૨૧ને બુધવારના રોજ માઇભકતો પગપાળા અંબાજી અંબેમાં ના દર્શને જવા નિકળ્યાછે. માઈ ભક્તોએ સવારે ગામમાં આવેલા માતરવાય માતાજીના મંદિરે આરતી કરી પ્રસાદ લઈ, માતાજીના આશિર્વાદ લઈ માઇભકતોએ અંબાજી તરફ પગપાળા પ્રસ્થાન કર્યું હતું. ગામમાંથી માઇભકતોએ , જય માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ માતાજીને પ્રાર્થના કરી અંબાજી પગપાળા માઇભકતોને પ્રસ્થાન કરાવ્યું હતું. બોલ માડી અંબે… જય જય અંબે , અંબાજીમાં કોણ છે , અંબે માતાજી છે…. ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
રિપોર્ટ :- પ્રફુલભાઈ