સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલ મુધાસણા ગામે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના સમાપન સમારોહ ના ભાગરૂપે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની “આત્મનિર્ભર ગામ”ની ભાવનાને સાકાર કરવાના ઉત્તમ હેતુસર માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની પ્રેરણા હેઠળ “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” અંતર્ગત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા)ના મકાનનું ખાતમુહૂર્ત તથા મિશન મંગલમ, કૃષિ વિભાગ, આઈસીડીએસ વિભાગ જેવા વિવિધ શાખા દ્વારા સહાયના પ્રમાણપત્રો તથા સહાયની મંજુરીના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર,તલોદ તાલુકા વિકાસ અધિકારી, સરપંચ શ્રી ,તાલુકા સદસ્ય શ્રી, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
કમલેશ પટેલ