સાબરકાંઠા જિલ્લાના તલોદ ના જોરાજી ના મુવાડા માં મહાબલી હનુમાનદાદા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો જેમાં ગ્રામજનો દ્વારા 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજેના તાલ સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગોમાં યજ્ઞનો પ્રારંભ અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ , કુટીર હોમ, મંદિર વાસ્તુ, ધજા રોહણ, શિખર પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહા આરતી તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતુ. જેમાં ૨૦ યજમાનો ને રાહુલભાઈ શાસ્ત્રી દ્વારા યજ્ઞની વિધિવત્ પૂજા-અર્ચના કરવામાં આવી હતી,ત્યારે આ આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર એ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં ગામના યુવાનોએ આ પ્રસંગને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી
કમલેશ પટેલ