આજ રોજ દેવદિવાળી ના તહેવાર ના રોજ ઝાલોદ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા મંદીર મુવાડા ખાતે અન્નકૂટ તથા તુલસી વિવાહ તેમજ મહાપ્રસાદ નું આયોજન સામાજિક સ્તરે કરવા મા આવ્યું તેમાં પંચાલ સમાજ ના દરેક વર્ગે ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો હતો ,આજ રોજ સવારે 9 કલાકે ગણપતિ સ્થાપના અને બપારે 3 વાગે વાગે સાઈ સર્જન સોસાયટી થી તુલસી માતા ની શોભાયાત્રા કાઢવા મા આવી ત્યારબાદ 4:30 કલાકે તુલસી વિવાહ યોજાયો અને પછી ભવ્ય અન્નકૂટ ના દર્શન કરી દર્શનાર્થીઓ એ ધન્યતા અનુભવી સાંજે પંચાલ સમાજ ના લોકો દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું સમસ્ત પ્રોગ્રામ મા વિશ્વકર્મા મંદીર ની કારોબારી સમિતિ, પંચાલ યુવક મંડળ અને પંચાલ મહિલા મંડળ દ્વારા ભાગ લઈ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો