*જાયન્ટ્સ કલોલ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું*
તારીખ 12 ના રોજ જાયન્ટ્સ ગ્રુપ ઑફ કલોલ મેઈન તથા કલોલ સાહેલી દ્વારા કલોલ ખાતે નીકળતી ભગવાનશ્રી જગન્નાથજીની ૧૧૩મી રથયાત્રાનું બેનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વ્રૃક્ષ વાવો- વરસાદ લાવો, સ્વચ્છતા ત્યાં સુખાકારી, રક્તદાન મહાદાન અંગેના બેનરો લગાવી જનજાગ્રૃતીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીલ્લા કૉ ઑર્ડીનેટર ભરતભાઈ પટેલ, યુનીટ ડાયરેકટર અશ્ર્વિનભાઈ પટેલ, ઑફિસર શશીબેન શ્રીવાસ્તવ, ગ્રુપ પ્રમુખ જયેશભાઈ બારોટ(ઍડવોકેટ), સાહેલીના ગ્રુપ પ્રમુખ અલ્પાબેન બારોટ, રમેશભાઈ પટેલ, શરદભાઈ આચાર્ય તેમજ ગ્રુપના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ