આજરોજ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યશસ્વી માન. વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રમોદી સાહેબશ્રી ની ઉજ્વલા યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિઆ તાલુકાના પીપલોદ ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ઘનશ્યામ હોટલ પંચેલા ખાતે ૧૯ મહિલા લાભાર્થીઓને ફ્રી ગેસ સિલિન્ડર, સગડી વિગેરે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પંચેલા ગામના સમરસ સરપંચ શ્રીમાન ભરતભાઇ ભરવાડ સાહેબ, દાહોદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમાન અશ્વિનભાઈ મકવાણા સાહેબ, ગુણા ગામના સરપંચ શ્રીપૃથ્વીસિંહ બાપુ, એજન્સીના માલિક શ્રીમદનભાઈ વણઝારા, પ્રવીણભાઈ વણઝારા, હરેશભાઈ ભરવાડ, પિન્ટુભાઈ ભરવાડ તથા ગામના યુવા મિત્રો, વડીલો હાજર રહ્યા હતા.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલદાહોદ