ચોરવાડ માં ઝુંડ ભવાની માતાજી ના મંદિરે ભક્તિથી ઉજવાશે નવરાત્રી

0
21

જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધિ ઝુંડ ભવાની મતાજી ના સાનિધ્ય માં સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ નવરાત્રી નું આયોજન કરવા માં આવ્યું છે

ઝુંડ ભવાની માતાજી ના ટ્રસ્ટ ના પ્રમુખ નારણભાઇ ચુડાસમા એ જણાવ્યા મુજબ નવરાત્રી દરમ્યાન નવે નવ દિવસ ભક્તો માટે 24 કલાક મંદિર ના દર્શન ખુલા રાખવામાં આવશે..

આ નવરાત્રિ પર્વ માતાજી ની આરાધના કરવાનો પર્વ છે આ નવરાત્રિ દરમ્યાન તા 7 તા થી 15 ઓક્ટોમ્બર સુધી માતાજી ની સંધ્યા આરતી બાદ રાત્રિ ના નવ વાગ્યા થી બાર વાગ્યા સુધી પ્રાચીન રાસ ગરબા અને દાંડિયા ની રમઝટ બોલાવી માતાજી ના સાનિધ્ય માં નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવશે અને આ માતાજી ની આરાધના માં દરેક ભક્ત જનો ને આમંત્રિત કરવા ઝુંડ ભવાની માતાજી ના ટ્રસ્ટ ના પ્રમુખ નારણ ભાઈ ચડાસમાં એ ભાવ ભર્યું આમંત્રણ પણ પાઠવ્યું છે

વૈશાલી કગરાણા
જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here