તારીખ 22 1 2024 ના દિવસે અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામને પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે એ નિમિત્તે ચાણસ્મામાં તારીખ 18 19 20 21 અને 22 એમ વિશિષ્ટ અને ધાર્મિક પ્રસંગો થઈ રહ્યા છે જેને અનુસંધાનમાં ચાણસ્મા નવા રામજી મંદિરના મહંતશ્રી મારૂતિ શરણ મહારાજ ને ચાણસ્મા ખાતે 31 વર્ષ પૂર્ણ થાય છે જોગાનુજોગ એ જ દિવસે અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તે નિમિત્તે તેમને સમગ્ર ચાણસ્મા નગરના તમામ પરિવારોને એક છત્રી અને પ્રસાદ ભેટ આપ્યો છે સાથે સાથે આજના દિવસે તમામ મીડિયાના મિત્રોને એક છત્રી અને પ્રસાદ ભેટ આપી હતી
પૂજ્ય મહારાજ શ્રી એ જણાવ્યું હતું કે
”સબ રામ કી માયા હૈ ઔર સબ હે રામ કા”
હું તો પ્રભુની આજ્ઞાનો પાલન કરતા છું
500 વર્ષના અંતે આજે ભગવાન શ્રીરામ નું અયોધ્યા ખાતે મંદિર થઈ રહ્યું છે અને એમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થશે આજે મને એમ કહેતા આનંદ થાય છે કે અયોધ્યા અને ચાણસ્મા મને એક સમાન દેખાય છે
અહેવાલ . કમલેશ પટેલ. પાટણ