
ચાણસ્મા શહેરમાં સ્વસ્થ ભારત ના ધજાગરા…
ભારત સરકાર અને રાજ્ય સરકાર લાખો કરોડો રૂપિયા સ્વસ્થતા અભિયાન અંતર્ગત ખર્ચી રહી છે… જનતા ને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં વેપારીઓ જ રોડ ઉપર નારિયેળ ના છોતરા ના ઢગલા કરેછે…
નવરાત્રી દરમિયાન લોકો પૂજા પાઠ કરવા માટે કિરણા સ્ટોરમાં થી જરૂરી સામગ્રી લેવા માટે આવતા હોય છે તો તેમાં નારિયેળ પણ માંગતા હોય છે વેપારીઓ દ્વારા છોલેલા નારિયેળ આપવામાં આવે છે પણ તેના છોતરા કોઈ એક કોથળા માં ભરવાની જગ્યાએ રોડ પર ઢગલા કરવામાં આવે છે… આજે નવરાત્રી ની આઠમ હોવાથી ગામમાં ગરબા હોવાથી મહેમાનો નો ઘસારો પણ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે તો તે દરમિયાન ગામમાં આવા નારિયેળ ના છોતરા ના ઢગલા એક સરમ જનક વાત કહેવાય… ચાણસ્મા નગર પાલિકા આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે