તંત્ર દ્વારા ગ્રામજનોની વેક્સિન માટે ની જાગૃતતા ને સરાહનીય લેખાવી..પાટણ તા.20પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે તો તંત્ર દ્વારા વેક્સિન માટે શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 100% વેક્સિનેશન કરવામાં આવે તેવાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામ નાં સરપંચ સહિત ગ્રામજનોની જાગૃતતા નાં કારણે 100% ગામના લોકો એ કોરોના વેક્સિન લઈ કોરોના ને નાથવામાં તંત્ર ને સહિયોગી બનતાં તંત્ર દ્વારા મેરવાડા ગ્રામજનોની કોરોના વેક્સિન માટે ની જાગૃતતા અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકોને અનુસરવા અનુરોધ કરી ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.