પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ જિલ્લા ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં જેઓનો સિંહફાળો છે તેવા માલજીભાઈ દેસાઈ ને પ્રજાસત્તાક દિવસે પદ્માવતી એવોર્ડ મળતા વિવિધ રાજકીય પક્ષો તેમજ વિવિધ સમાજના લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે ત્યારે આજરોજ કોંગ્રેસ પક્ષ મોવડી મંડળ દ્વારા શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મોમેન્ટો આપવામાં આવી હતી
ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસના રોજ વિવિધ લોકોને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા આશ્રમ ના સ્થાપક તેમજ પ્રખર ગાંધીવાદી એવા માલજીભાઈ દેસાઈ ને પદ્મશ્રી એવોર્ડ અપાતા વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો તેમજ સ્નેહીજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા જીલીયા આશ્રમ ખાતે પદ્માવતી એવોર્ડ માલજીભાઈ દેસાઈ નું સન્માન સમારોહ તેમજ વિવિધ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ના રઘુ શર્મા,. સિદ્ધર્થ પટેલ. .જગદીશ ઠાકોર,. તેમજ ધારાસભ્યો કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ ઠાકોર, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ, તેમજ ચાણસ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ દેસાઇ તેમજ કોગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ તાલુકાના અને જિલ્લામાંથી ના કોગ્રેસ કાર્યકરો તેમજ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોટર. કમલેશ પટેલ. પાટણ