ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે ચાણસ્મા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.

0
1

ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે આવેલ અતિ પ્રાચીન તીર્થધામ લીંબોજ માતાજીના મંદિર પરિસર ની અંદર તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા બનાવેલ સાંસ્કૃતિક કેન્દ્રમાં મૂર્તિઓનું સ્વચ્છતા અભિયાન આજરોજ ચાણસ્મા તાલુકાના મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ ઔતાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું
ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે આજરોજ બપોરના સુમારે ચાણસ્મા તાલુકા મામલતદાર ઓફિસના મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડા, નાયબ મામલતદાર શ્રી કૌશિકભાઈ પ્રજાપતિ, સર્કલ શ્રી ગીરીશભાઈ સહિતના સ્ટાફ દ્વારા તેમજ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી સીબી લીમ્બાચીયા સાહેબ, નાયબ ટીડીઓ એન એ મોદી તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા દેલમાલ ગામે આવેલ અતિ પ્રાચીન લીંબોજ માતાજીના દેવાસ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મંદિર પરિસર તેમજ મંદિર ખાતે આવેલ સાંસ્કૃતિક કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેલમાલ ગામે આવેલ લિંબોજ માતાજીના મંદિરના પૂજારી નંદલાલ જેઠી દ્વારા ચાણસ્મા મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડાને જેઠી સમાજનો ઇતિહાસ તેમજ મંદિરને લગતી માહિતીગાર કરતું પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here