આજ રોજ ચાણસ્મા જૂના ખોડીયાર માતાજી ચાણસ્મા ખાતે વિજય મુહૂર્તમાં અયોધ્યા માં તારીખ 22 / 1 / 2024 ના રોજ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની નવીન મંદિર માં પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સંપૂર્ણ ભારતદેશ વાસીઓ આ ભવ્ય પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવા આતુર છે. ત્યારે આજરોજ જુના ખોડીયાર માતાજી,ના મંદિર દ્વારા રામાયણના અલગ અલગ પાત્રોની વેશભૂષા, રામ ધુન,દીપ જલાવી, ભવ્ય પ્રસંગની ઉજવણી કરવામા આવી.
આ પ્રસંગે ભારત વિકાષ પરિષદ ના પ્રમુખ પટેલ પરષોમભાઈ શંકરભાઈ (ડેવિડ ) . સમસ્ત ખોડીયાર પુરા તેમજ ગ્રામજનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ .કમલેશ પટેલ પાટણ