ચંદ્રુમાણા ગામે વ્હાલી દિકરીઓને મંજુરી પત્ર આપવામાં આવ્યા.

0
4

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આંગણવાડી ખાતે રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે વ્હાલી દીકરીઓ ને સરકારના નિયમ મુજબ રકમ સિવાય તે વ્હાલી દીકરી ના વાલીઓને સોમવારે મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે તલાટી ક્રમ મંત્રી નૂપુર બેન પટેલે સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. અને તે પૈકી રાજ્ય સરકાર દ્વારા જે ઘરે દીકરી નો જન્મ થયો હોય તેવી દીકરીને રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. અને જેના આજે મંજૂરી પત્ર આપવામાં આવ્યા છે. આ પ્રસંગે સરપંચ વતી સામાજિક અગ્રણી શૈલેષ ભાઈ દેસાઈ ,સામાજિક અગ્રણી અશ્વિન વ્યાસ, આરોગ્ય વિભાગના નીતાબેન ભટ્ટ, આંગણવાડી કાર્યકરો, દીપાબેન વ્યાસ ,દિપીકાબેન રાવલ,વર્ષાબેન ઠાકર સહિત વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે વ્હાલી દીકરીઓ ને મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા તે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here