ગાંધીનગરના કલોલમાં સામાન્ય વરસાદમાં જાહેરમાર્ગો માં પાણી ભરાયા

0
1

ગાંધીનગરના કલોલ શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી હોય તેમ લાગી રહ્યું છે.

અને સામાન્ય વરસાદમાં જ કલોલ શહેરમાં જાહેર માર્ગો ઘૂંટણ સમાણા પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કલોલ શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં માહિર તંત્ર પ્રજાની સુખાકારી માટે ઉદાસીનતા દાખવી
જોવા મળી રહી છે.

કલોલ શહેરના મુખ્ય માર્ગોમાં ટાવર ચોક, સ્ટેશન રોડ, નવજીવન રોડ ,ખૂની બંગલા, બગીચા ચાર રસ્તા, કલોલ હાઈવે પર આવેલ બળિયાદેવ ના મંદિર પાસે, અને પંચવટી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પાણી ખૂબ જ ભરાઈ રહ્યા છે.

પાણી ભરાવાના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાય નો ભય રહે છે.

કલોલ હાઇવે પર બળિયાદેવ મંદિર પાસે કેડ સમા પાણી ભરાઇ રહ્યા છે.

પ્રજા દ્વારા અનેક વર્ષોથી રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકણ નહીં થતાં લોકોનો તંત્ર સામે રોષ ફેલાયો છે.

હવે જોવાનું એ રહેશે કે ક્યારેય પ્રજાની આ સમસ્યાનો નિવારણ આવશે.

સંજય નાયક
કલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here