સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ના લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટ દ્વારા શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, લક્ષ્મીપુરા મુકામે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ સ્થળોએ ૫૦૦ થી વધુ વૃક્ષો વાવી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.આ બંન્ને કાર્યક્રમમાં લક્ષ્મીપુરાના ગ્રામજનો,ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ,તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ,આર.એફ.ઓ.શ્રી,ખેડબ્રહ્મા,તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ,મહંતશ્રી સોહમપુરી મહારાજજી તથા લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા
*બિપિન જોષી ખેડબ્રહ્મા*