કાળીડુંગરી ગામ ના ખેડા ફળિયા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

0
9

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના કાળીડુંગરી ના ખેડા ફળિયામાં ભાદરવા સુદ ચોથ શુક્રવારના રોજ ગણેશ ચતુર્થી નો પ્રારંભે ગણેશજી ની સ્થાપના કરવામાં આવી હતી.ત્યારે ગામ ના લોકો દ્વારા ભગવાન ગણેશજીને સવાર સાંજ વિધ્નહર્તાની આરતી અને થાળ ધરવી ને દસ દિવસ ભગવાન શ્રી ગણેશજી પુજા અર્ચના કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તા.૧૯/૦૯/૨૧ના રોજ ગામ ના યુવાનો.વડીલો તથા બામણ મહરાજ થકી આરાધના કરી વિઘ્નહતાૅ ગણેશજીનું વિસર્જન વાગતે ગાજતે અબીલ ગુલાલ ના રમઝટ સાથે ડી જે ના તાલે એક દો તીન ચાર ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે કાકલપુર ગામ ના તલાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું

રીપોર્ટ કિરીટભાઈ બારીઆ ..કાળીડુંગરી .સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here