બનાસકાંઠા…
બનાસકાંઠામાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી જેમાં કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે સદારામબાપુ ધામમાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે પૂજા, દર્શન કરી યાત્રાનો કર્યો પ્રારંભ કર્યો હતો.જન આશીર્વાદ યાત્રા ટોટાણાથી નીકળી મોડી સાંજે અંબાજી ખાતે પહોંચશે. રસ્તામાં દરેક જગ્યાએ જન આશીર્વાદ યાત્રા નું સ્વાગત કરવામાં આવશે.. જેમાં થરા, શિહોરી, ખીમાણા, અને પાલનપુરમાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.જન આશીર્વાદ યાત્રામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા