કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ધરાવતું શિહોરી ખાતે આવેલ બેંક ઓફ બરોડા તેમજ એસબીઆઈ બેન્ક ના એટીએમ મશીન ફક્ત ને ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે. તેમજ પ્રિન્ટર મશીન પણ બંદ હાલત માં છે તેમજ એટીએમ મશીન પણ કેસ પૂરતા પ્રમાણમાં પૈસા મળતાં નથી. જે કાંકરેજ તાલુકા માં શિહોરી મુખ્ય તાલુકા મથક ધરાવતું ગામ છે જ્યાં તાલુકામાં મામલતદાર ની કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી તેમજ સીપીઆઈ કચેરી તેમજ ગ્રામ પંચાયત કચેરી જેવી અનેક નાની મોટી કચેરી ઓ આવેલી છે. જ્યાં કાંકરેજ તાલુકાના વેપારી મુખ્ય મથક શિહોરી ખાતે એટીએમ મશીન 24 કલાક ફક્ત પૂતળા સમાન દેખાવ માટે મૂકવા આવ્યા છે જ્યાં તાલુકામાં આવતા ખેડૂતો અને વેપારીઓ તેમજ રાહદારી લોકો ને મુશ્કેલી કરવાની નોબત આવી પડી છે શિહોરી ની આમ પ્રજાને પણ હાલાકી ભોગવવી પડી રહી છે શિહોરી ખાતે આવેલ દેના બેંક તેમજ એસબીઆઈ અને બેન્ક ઓફ બરોડા માં ના 24 કલાક એટીએમ મશીન ચાલુ રહે તેવી શિહોરી જનતા ની માંગ ઉઠવા પામી છે. તો આ મીડિયા ના અહેવાલ થી અર્થ તંત્ર જાગશે કે પસી આખ આડા કાન કરશે તે જોવા નું રહ્યું…..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ .બનાસકાંઠા…