કાંકરેજ તાલુકાના વાલપુરા ગામ ના અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા નુ હમીરપુરા ગામ માં સાત વર્ષ થી શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ મુળજીભાઈ ચૌધરી એ ચાલુ અભ્યાસ દરમિયાન પિતા નુ અવસાન થયું હતું મક્કમ મનોબળ થી કઈક સારુ કરવાના ઊંચા વિચારો સાથે. સેલટેક્સ વિભાગ ફરજ બજાવી. તેમના માતુશ્રી ના કહેવાથી શીક્ષક બન્યા શાળા મા વિદ્યાર્થી ઓ ને શિક્ષણ ઊંચુ ઘડતર કરવામાં ખુબજ યોગદાન રહ્યુ છે બાળકો શિક્ષણ થી વંચિત ન રહે તે માટે તેમને યુટ્યુબ ચેનલ દ્વારા અને વિવિધ અપો દ્વારા શિક્ષણ પુરું પાડ્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠા પુર્વક બજાવી છે સામાજિક સેવામાં પણ ઊંચુ વ્યક્તિત્વ ધરાવે છે શિક્ષણ પીરસવાનું ભગીરથ કાર્ય કરી નાની ઉંમરે. માનનીય મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર હસ્તે તા.૫.૯.૨૦૨૧ ના રોજ શાંતલપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો હમીરપુરા પ્રા શાળા નુ તથા વાલપુરા ગામ નુ ગૌરવ વધાર્યું છે.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા