કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ વાળીનાથ ધામમાં મહંત શ્રી કૃષ્ણપૂરી બાપુ સોમનાથ ની યાત્રા દરમ્યાન હદય હુમલા ના કારણે દેવલોક પામ્યા હતા જેમાં ઝાઝાવડા વાળીનાથ ધામમાં તેમજ ભરવાડ સમાજ માં શોક ની લાગણી છવાઈ હતી. આજ રોજ સવારે સમસ્ત જનતા તેમજ સમસ્ત ભરવાડ સમાજ દ્વારા થરા વાળીનાથ મહંત શ્રી કૃષ્ણ પૂરી બાપુની ઢોલ નગારા સાથે પાલખી યાત્રા નીકળવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના તેમજ સમગ્ર વિસ્તાર ના લોકો પાલકી યાત્રા માં જોડાયા હતાં જેમાં કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વેપારીઓ મંડળ સમગ્ર લોકો જોડાયા હતાં જેમાં કાંકરેજ તાલુકાના થરા ઝાઝાવડા વાળીનાથ ધામમાં શોક ની લાગણી છવાઈ હતી જેમાં આજ રોજ થરા નગર પાલિકા પાસળ ના સ્થળ પર કૃષ્ણ પૂરી બાપુ ને સમાધિ આપવામાં આવી હતી….
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા