કલોલ ખાતે ની પી. એસ .એમ હોસ્પિટલના નવીન આઇસીયુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

0
20

૨૨/૦૭/૨૦૨૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળ સંચાલિત પી. એસ .એમ હોસ્પિટલ દ્વારા કલોલ સીટી અને કલોલ તાલુકાના 72 ગામના જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણ સારવાર PSM હોસ્પિટલ ખાતેના અધતન ટેકનોલોજીથી સજ્જ ICU ખાતે મળી રહેશે. ગંભીર દર્દીઓ જેમને વિશેષ કાળજીની સાથે ઘનિષ્ઠ સારવારની જરૂર હોય જ્યારે જીવન અર્થે એક એક ક્ષણ કિમતી હોય છે ત્યારે કલોલથી દુર કોઈ હાયર સેન્ટરમાં જવું ના પડે
તે અર્થે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ PSM હોસ્પિટલ ખાતે આઠ વેન્ટિલેટર ધરાવતું નવીન આઇસીયુ સાથે 24 કલાક ઇન્ટેન્સિવિસ્ટ/એનેસથેટીક ડૉક્ટરની હાજરી અને અનુભવી નર્સિંગ સ્ટાફ સાથે દર્દીઓ ને સંતોના આશિર્વાદ મળી રહે અને દર્દીઓના સગાઓને સાહનુકુળ વાતાવરણ મળી રહે, તેવા ઉત્તમ વિચારથી લોકહિત માટે ખુલ્લુ મુકવામા આવ્યુ. આ સંદર્ભે ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ ડો.હર્ષદભાઇ પટેલ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમ્યાન માન્ય રાણીપ ના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ
ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
જીતેન્દ્ર પટેલ
અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here